ઘણા લોકો હમેશા એવી ફરિયાદ કરતા હોય કે મારી સાથે જ બધું ખરાબ થાય છે.
મને જ શા માટે આવું ખરાબ ફેમીલી મળ્યું ?
મને જ શા માટે હેન્ડીકેપ બનાવ્યો ?
મને શા માટે ગરીબ રાખ્યો ?
મને જ કેમ લાઈફમાં મુશ્કેલીઓ આવે છે ?
મને જ કેમ ઓછી બુદ્ધિ મળી હશે ? વગેરે....
ઉપરના બધા પ્રશ્નનો જવાબ છે "કર્મનો સિદ્ધાંત"
જેમ સાયન્સમાં ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ન્યુટનને ખબર પડી, તેને શોધ કરી તે પહેલા પણ સફરજન તો ઉપરથી નીચે જ આવતું હતું, આ નિયમ તો દુનિયામાં હતો જ. એવી જ રીતે કર્મની ગતિનું છે. કર્મનો સિધ્ધાંત એટલે કર્મનું સાયન્સ આપણને કદાચ એ ખબર નો પડે તો પણ તેનું અસ્તિત્વ તો છે જ ! અને તે તેની ડીઝાઇન પ્રમાણે જ વર્ક કરે.
ખરેખર તો આપણે આ સિધ્ધાંત સમજી લેવો જોઈએ. "કર્મના સિદ્ધાંત" ટૂંકમાં સમજાવું તો...
૧. આ દુનિયામાં કોઈને પણ ક્યારેય અન્યાય થતો જ નથી. તમે કરેલું જ તમે ભોગવો છો. કર્મના સિદ્ધાંતમાં પુનઃ જન્મની કલ્પના આવી જ ગઈ.
૨. આ દુનિયા એક સુવ્યવસ્થિત રચના છે, નહિ કે કોઈ એકસીડન્ટ !
૩. જેમ કોમ્પ્યુટરની દુનિયામાં કોઈ ડેવલોપરે કોડીંગ કરેલું હોય તે પ્રમાણે જ વેબ સાઈટ ચાલે તેમ સર્જનહારે પણ આ બહારની દેખાતી દુનિયાની પાછળ જોરદાર અને સુપ્રીમ ઈન્ટેલેકચ્યુઅલ કોડીંગ કરેલું છે.
૪. આ કોડીંગનું જ્ઞાન મેળવીને સમજી લેવું અને તેના આધારે જીવવું તે એટલે "શ્રદ્ધા"
કર્મના સિધ્ધાંતને વધુ સમજવા માટે હીરાભાઈ ઠક્કરની "કર્મનો સિધ્ધાંત" એકવાર અચૂક વાંચી લેવી !!